દિયોદર ખાતે ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ ની મુલાકાત કરતા નરેન્દ્રમોદી વિચાર મંચ ના હોદેદારો ,, ગુજરાત માં ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ પક્ષે પોતાની બેઠક નો દોર શરૂ કર્યો છે. દિયોદર વિધાનસભા માં ભાજપ ઉમેદવાર કેશાજી ચૌહાણ નો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો અનેક સમર્થકો સમર્થન આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે આવેલ ઠાકોર બોડીગ માં નરેન્દ્ર મોદી વિચાર મંચ નાં રાષ્ટ્રીય સંયોજક રવી ચાણક્યજી,પ્રદેશ અધ્યક્ષ ચેહર ભાઈ દેસાઈ,પ્રદેશ ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ પાઠક,પ્રદેશ મહામંત્રી દેવેન્દ્ર સિંહ જાડેજા ,બનાસકાંઠા જિલ્લા ના દિયોદરનવિધાનસભા ઉમેદવાર કેશાજી ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી,સાથે.નરેન્દ્રમોદી વિંચાર મંચ જિલ્લા પ્રમુખ આઈ. ટી સેલ તથા મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા ને બીજેપી ના દરેક ઉમેદવાર ના જંગી બહુમતીથી વિજય મળે અને મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું...