પંચમહાલ સહિત સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચાવનાર કાળજુ કંપાવી દેનાર કમભાગી ઘટનામાં હાલોલ તાલુકાના આનંદપુરા ગામના પરિવારની 5 વર્ષીય બાળકી ઘટનાના દિવસે બપોરે ગુમ થયા બાદ રાત્રે આંનદપુરા ગામની સીમમાં આવેલ એક લાકડાના ભંગારના ગોડાઉન નજીક ઝાડી ઝાખરામાંથી મળી આવી હતી જેમાં બાળકી સાથે કોઈ નરાધમે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં રોહિત અને અક્ષય સહિત અન્ય એક બે ઈસમોએ ઘટનામાં શકના આધારે લાકડાના ગોડાઉનમાં કામ કરતા ઇસમ પર શક વહેમ રાખી ગોડાઉનમાં રહેતા રામાનંદને માર મારી ગોડાઉનના લાકડાના જથ્થા સહિત ગોડાઉનમાં રેહતા ઇસમના ઝૂપડાને તેમજ ઘરવખરીને આગ લગાવી દેતા ગોડાઉનમાં ભયાનક આગ પ્રસરી જવા પામી હતી અને ગોડાઉનમાં રહેલ માલ સામાન ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે એક વાહનને પણ ભારે નુક્સાન પહોંચાડવામાં આવતા ગોડાઉન માલિકને એક કરોડ જેટલું નુકસાન થયું હોવાની પોલીસ ફરિયાદ રૂરલ પોલીસ મથકે ગોડાઉનમાં માલિક હસમુખ દિલીપ જાદવે અક્ષય રોહિત અને એકથી બે અજાણ્યા ઇસમો સામે નોંધાવતા હાલોલ રૂરલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ દુઃખદ ઘટનાના બાળકી સાથે નીચતાની હદ વટાવી માનવતાને શર્મસાર કરી માસૂમ ફૂલ જેવી બાળકીને પીંખી નાખી દુષ્કર્મ કરી ગળે જંગલી વેલનો ટૂંપો દઈ હત્યા કરી ફરાર થઈ જનાર ગામના જ નરાધમ ક્રૂર સાચા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો છે.