ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે ૧૨ : ૩૯ કલાકે નામાંકનપત્ર ભર્યું હતું.પાણિયારી ખાતેના અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી ચિરાગ પટેલે નામાંકન માટે આગેકૂચ કરી હતી.પરિવર્તન નેમ સાથે પાણીયારીથી શરૂ થયેલી રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ટીકીટની જાહેરાત થયેના પ્રારંભમાં સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી થઈ હતી.આજ રોજ નામાંકનપત્ર ભરવા જતા સ્વયંભૂ લોકો જોડાયા હતા.અને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.ખંભાતમાં પરિવર્તનની લહેર પ્રસરાઈ જતા ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 

(સલમાન પઠાણ-ખંભાત)