ધારી-૯૪ વિધાનસભા મત વિસ્તાર ના લોકો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જાહેર થવાની કાગાડોળે રાહ જોઈ રહેલા હતા. ત્યારે ગયકાલે તા ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે કોંગ્રેસ પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે ડો.બોરીસાગર નુ નામ જાહેર કરવામાં આવેલ .કોંગ્રેસના પીઠ રાજકીય આગેવાન એવા ડો.બોરીસાગર બ્રહ્મ સમાજ માં થી આવતો એક બિનવિવાદસ્પદ, બિનપાટીદાર, રાજકારણ માં સ્વચ્છ છબી ધરાવતો ફ્રેશ ચહેરો ધારી-૯૪ વિધાનસભા ના મતદારોને મળેલ છે.ડો બોરીસાગર નુ નામ જાહેર કરતા કોંગ્રેસના અન્ય દાવેદારો માં નારાજગી વ્યાપી હોય તેવા સમાચાર મળી રહેલ છે.એકલ દોકલ નારાજ દાવેદારો અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરીને કયાક ને કયાક કોંગ્રેસના ઉમેદવાર ને નુકસાન કરવાની વેતરણમાં હોય તેવુ પણ જાણવા મળેલ છે.દશકાઓ થી કોંગ્રેસ માં પાયાના પથ્થર થી લયને લોકોના પ્રતિનિધિ સુધીની પ્રતિનિધિત્વ કરનારા દાવેદારો પોતાની પસંદગી ને બદલે અન્ય દાવેદારની પસંદગી થાય એમાં નારાજગી વ્યક્ત હાલમાં કરી રહેલ... આગળના દિવસોમાં ધારીના રાજકારણ માં કેવો વળાંક આવે છે એ જોવાનુ રહેલ