જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી નીચેની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

· રદ કરાયેલી ટ્રેનો :-

1. તારીખ 16 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

2. તારીખ 19 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

· ડાયવર્ડ કરાયેલી ટ્રેનો :-

1. તારીખ 14 અને 18 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર-કટની મુડવારા-બીના માલખેડી-બીના-ભોપાલ ની જગ્યાએ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને ચાલશે.

2. તારીખ 12 અને 14 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના માલખેડી -કટની મુડવારા-જબલપુર ની જગ્યાએ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને ચાલશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.