શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે દેવદિવાળી નો મહામેળો યોજાયો

20 હજારથી વધુ લોકોના ભોજન પ્રસાદ નો લાભ ડીસા એપીએમસી ના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ લીધો

ધાનેરા તાલુકાના વાલેર સ્થિત શ્રી સુંદરપુરીજી મહારાજ ધામ શિતોળા ધોરે કારતક સુદ પૂનમ ને દેવદિવાળી નિમિત્તે મહામેળો યોજાયો હતો. જેમાં 20 હજારથી વધુ લોકોએ દર્શન અને ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો. 

વાલેર ધામ ના પરમ પૂજય મહંત 1008 શ્રી સુખદેવપુરીજી મહારાજ ના સાનિધ્યમાં યોજાયેલા મહામેળા માં સંતો મહંતો સહિત બનાસકાંઠા ના સાંસદ પરબતભાઈ પટેલ, ભોજન પ્રસાદ દાતા અને ડીસા એપીએમસી ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંક ના ચેરમેન સવસીભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, જગદીશભાઈ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વાલેર સહિત આસપાસના ગ્રામજનો વાજતે ગાજતે મંદિર એ પહોંચી સુંદરપુરીજી મહારાજ ને નેજા ચઢાવ્યા હતાં. વાલેર ધામ ના મહંત શ્રી સુખદેવપુરીજી મહારાજ એ ભૈજન દાતા માવજીભાઈ દેસાઈ નું સ્વાગત કરી આશીર્વાદ આપ્યાં હતાં.