પેટલાદ તાલુકાના ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર સવારના સમયે ઉભેલી ઇકોગાડીને અજાણ્યા વાહનને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.સાગર ભરવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સાજણ અને વિપુલભાઈ નામના બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આ અંગે યોગેશભાઈ ભરવાડ( રહે.ભાવનગર)પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.