પેટલાદ તાલુકાના ધર્મજ ગામે મોરબી દુર્ઘટનામા અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સમયે ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.