ચોમાસામાં અતિભારે વરસાદથી નુકશાન પામેલા શહેરી વિસ્તારોના માર્ગોને તાત્કાલિક રીપેર કરી નાગરિક સુખાકારીમાં વૃદ્ધિનો મુખ્યમંત્રીશ્રીનો જનહિતકારી અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રૂ . ૯૭ કરોડ ૫૦ લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે . રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાર અભિગમથી તેમણે આ નિર્ણય કર્યો છે . મુખ્યમંત્રીશ્રીએ આવી ૬૨ નગરપાલિકાઓના રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે . સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે . તદઅનુસાર , અમદાવાદ પ્રદેશની ૮ નગરપાલિકાઓને ૮ કરોડ ૮૬ લાખ , વડોદરા પ્રદેશની ૧૨ - પાલિકાઓને રૂ . ૧૦ કરોડ , સુરત પ્રદેશની ૧૦ નગરપાલિકાઓ માટે ૧૬ કરોડ ૩૦ લાખ , રાજકોટ આર.સી.એમ હાકની ૧૫ નગરપાલિકાઓ માટે ૪૫ કરોડ ૩૯ લાખ , ભાવનગર પ્રદેશની ૧૩ નગરપાલિકાઓને ૧૫ કરોડ ૧ લાખ તેમજ ગાંધીનગરની ૪ નગરપાલિકાઓને રૂ . ૧ કરોડ ૮૬ લાખની ગ્રાષ્ટ્ર ફાળવવા અનુમતિ આપી છે . અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે , રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન નગરોના માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત માટે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ૧૫૬ નગરપાલિકાઓને કુલ ૯૯.૬૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી . હવે નગરપાલિકાઓમાં રસ્તાઓને થયેલા ખરેખર નુકશાનની વિગતો મેળવીને દુર નગરપાલિકાઓ માટે વધારાની કુલ ૯૭,૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ શ્રી ભૂપેન્દ્ર પટેલે મજૂર કરી છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.