દિવાળીના મહાપર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ સુધી ખરીદી જામતાં વેપારીઓમાં હર્ષ વ્યાપ્યો છે, પગાર અને બોનસની ચૂકવણી થઈ રહી હોવાથી ખાનગી એકમોના નોકરીયાતો ઉપરાંત ગૃહિણીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જેથી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લા બે વર્ષ બાદ કોરોનાની કળ પછી આજથી શરુ થયેલા દિપાવલી પર્વનો ઉજાસ અને ઉત્સાહ છવાયો છે. સ્કૂલ કોલેજોમાં તો અગાઉ રજા પડી ગઈ છે, સરકારી કચેરીઓમાં અરજદારો અને અફ્સરોની હાજરી પાંખી થવા લાગી છે મોટાભાગની સરકારી,ખાનગી કચેરીઓના પગારો પણ ચૂકવાઈ જતા બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી સિહોરની બજારોમાં દિવાળી પર્વ દેખાવવા લાગ્યો છે સિહોરની બજારમાં ખરીદી માટે મુખ્યત્વે મધ્યમવર્ગજ ઉમટતો હોય છે અને તેઓ ખરીદી માટે દરેક જરૂરિયાત મૂજબની વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ વેચાય છે અને શોરૂમ્સ કરતા સસ્તામાં વેચાય છે તે જુની બજારોમાં અચૂક જતા હોય છે તે કારણે સિહોરની બજાર આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. છુટક ખરીદી કરવા માટે લોકો આવતા મોટા ભાગની બજારોગ્રાહકોથી ધમધમવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কবি ,লেখিকা কানন শৰ্মাৰ পাঁচখন গ্ৰন্থ উন্মোচন
কবি ,লেখিকা কানন শৰ্মাৰ পাঁচখন গ্ৰন্থ উন্মোচন
धनगरवाडी जवळ मोटर सायकल चा अपघात, १जन जखमी
धनगरवाडी जवळ मोटर सायकल चा अपघात, १जन जखमी
बांग्लादेश में उपद्रवियों ने दुर्गापूजा के लिए बनाई प्रतिमा तोड़ी:प्रतिमा से हाथ अलग किए; जलाने की कोशिश भी की,
बांग्लादेश में दुर्गापूजा के लिए बन रही प्रतिमा को तोड़ने की घटना सामने आई है। मेघालय बॉर्डर से...
અંબાજી મંદિરના સમયમા ફેરફાર | SatyaNirbhay News Channel
અંબાજી મંદિરના સમયમા ફેરફાર | SatyaNirbhay News Channel
ધ્રાંગધ્રામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: સાત જુગારી પકડાયા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધમધમતી જુગારક્લબો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે ધડાધડ દરોડા...