સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીઓ હિંમતનગર ના મહાકાળી મંદિરે જલાભિષેક અને પ્રાર્થના કરી હડતાલનું રણસિંગુ ફૂંક્યુ હતું, ગુજરાત રાજ્યના તલાટીકમ મંત્રી ના આદેશ મુજબ સાબરકાંઠા જિલ્લાના આશરે 300 તલાટી કમમંત્રીઓ એ તેમની મુખ્ય 5 પડતર માંગણીઓ ને લઇ તારીખ 2 ઓગસ્ટ 22 ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી પંચાયત્ ના રોજિંદા કામ થી અગળા રહ્યા હતા,

તેઓનું કહેવું હતું કે આ પહેલાની હડતાલ અમે સરકારે આપેલા આશ્વાશન ને લીધે આંટોપી લીધી હતી પરંતુ વર્ષો જૂની અમારી પડતર માંગણીઓ ની બાંહેધરી આપવા છતાં અમારી માંગો સ્વીકારવામાં આવેલ નથી જેથી કરી હમો આજરોજ થી જ્યાં સુધી પડતાલ માંગણીઓ માનવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જઈ રહ્યા છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.