ઝાલોદ નગરના સાર્વજનિકના તળાવના અંદર અને તળાવના ફરતે ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા.

ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે નગરની મધ્ય સાર્વજનિક તળાવ આવેલું છે.આ તળાવમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. હાલમાં જ્યારે ઝાલોદ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે ઝાલોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું સ્વચ્છતા સર્વેક્ષણ માત્ર કાગળ પર થતું હોય તેમ લાગી રહ્યું છે.