સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં વઢવાણ, મુળી, ધ્રાંગધ્રા તાલુકાના 31 ગામોના સરપંચો અને ગ્રામજનો પાણી પ્રશ્ને હલ્લા બોલ કર્યો હતો.જ્યાં નર્મદાના પાણીથી વંચીત ગામોને 8 દિવસમાં પાણી આપવા મંજુરીની માંગ કરી હતી.જો સરકાર તેમ નહીં કરે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની કોઇ પણ રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દાવાઓ કરી રહી છે.ત્યારે બીજી તરફ ત્રણ તાલુકાના 31 ગામોના સરપંચોએ નર્મદાના પાણી માટે આંદોલનના મંડાણ કર્યા છે. વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રા તાલુકાના રૂપાવટી, ખોડુ, કુંતલપુર, રાયગઢ, મોટાઅંકેવાળીયા સહીતના 31 ગામોને નર્મદાનું પાણી આપવા માંગ કરી છે. આ ગામો દ્વારા અગાઉ પણ નર્મદાના પાણી માટે આંદોલન કરવામાં આવ્યું હતુ.પરંતુ માત્ર આશ્વાસન મળતા રોષે ભરાયેલા ગામના સરપંચ અને આગેવાનો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતાં.જ્યાં મૂળી તાલુકાના ટીકર, દિગસર, પાંડગરા, સરા, જેપર, સરલા, કળમાદ,દુધઇ, કુંતલપુર, લીયા, દાણાવાડા, વઢવાણ તાલુકાના રૂપાવટી, નગરા, અધેલી, ખોડુ, પ્રાણગઢ, વેળાવદર અને ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર,ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટાઅંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ,રાયગઢ, દેવચરાડી, કોંઢ, કલ્યાણપુર, રતનપર, ખાંભડા ગામના લોકોએ લેખીત આવેદન પાઠવી નર્મદાનું પાણી આપવા માંગ કરી હતી.આ અંગે રાવળીયાવદરના રસપંચ રતસિંહ ઠાકોર, વેળાવદર સરપંચ ભાણજીભાઇ શેખાવત,રામપરા સરપંચ રબારી વેરશીભાઇ, રૂપાવટી સરપંચ ગીરીરાજસિંહ ઝાલા, પાંડવરા સરપંચ ચકુભા સહિતનાઓએ આવેદન પાઠવી જણાવ્યુ કે અગાઉ રસ્તા રોકો, ટ્રેક્ટર રેલી જેવા આક્રમક કાર્યક્રમો આપ્યા બાદ ફેબ્રુઆરીમાસમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરતા દોઢમાસમાં પાણી આપવાની હૈયાધારણ આપી હતી.પછી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન છતા આજ દિવસ સુધી પાણી ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. સરકાર દ્વારા પાણી આપવા અંગે 8 દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમજ કોઇ પણ રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मुझे भगवान से निर्देश नहीं मिलता, मैं बाइलॉजिकल हूं...' राहुल गांधी के लिए कौन हैं ईश्वर? कांग्रेस सांसद ने दिया जवाब
Rahul Gandhi targets PM Modi। लोकसभा चुनाव में वायनाड और रायबरेली लोकसभा सीटों पर जीत दर्ज...
ટંકારિયા ગામે જુગાર રમી રહેલા સાત શખ્સો ઝડપાયા
ટંકારિયા ગામે જુગાર રમી રહેલા સાત શખ્સો ઝડપાયા
Ajmer Sharif Dargah में शिव मंदिर होने के दावे पर भड़के Asaduddin Owaisi, सुनिए क्या कहा ? | Aaj Tak
Ajmer Sharif Dargah में शिव मंदिर होने के दावे पर भड़के Asaduddin Owaisi, सुनिए क्या कहा ? | Aaj Tak
Ye Bharat Ki Baat Hai Live: सड़क पर भिड़े भाटिया-भारद्वाज | Arvind Kejriwal | AAP VS BJP | R Bharat
Ye Bharat Ki Baat Hai Live: सड़क पर भिड़े भाटिया-भारद्वाज | Arvind Kejriwal | AAP VS BJP | R Bharat
गर्मियों में इन फूड्स को ज्यादा खाना पहुंचा सकता है सेहत को नुकसान
गर्मी के मौसम ने दस्तक दे दी है। गर्मी में खुद को ठंडा रखने के लिए हम कई तरीके अपनाते हैं।...