નવરાત્રિના તહેવાર દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ હોઈ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવા માટે અભયમ ટીમ નર્મદા તરફ થી કરાયો જાહેર અનુરોધ

ઉલ્લેખનીય છે કે હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે આ તહેવાર ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર માં નવરાત્રી સુધી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જે દરમિયાન જો કોઇ મહિલા અથવા યુવતીને કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા કોઈ રોમિયો છેડતી કરતો હોય તો તરત જ 181 મહિલા હેલ્પલાઈન ટીમમાં ફોન કરીને મદદ મેળવવા અને સુરક્ષિત રહેવા માટે અભયમ ટીમ નર્મદા તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે અભય 24*7 સેવાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ થાય છે અને ત્રાહિત વ્યક્તિ પણ કોઈ મહિલાને મદદ કરવા કોલ કરી શકે છે તેમજ મોબાઇલ ફોનમાં અભયમ એપ્સ ડાઉનલોડ કરીને ઝડપ થિ અભયમ સેવાઓ મેળવવા માટે પણ અભયમ ટિમ નર્મદા તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે