નંદગામ ગામે ભૂતિયા વિસ્તારમાં માં જવાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વર્ષો પછી પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશી ની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતિભાઈ સોઢા, નડીઆદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ મહીડા, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિંહભાઈ પરમાર, તાલુકા ઉપપ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ, તાલુકા સદસ્ય દિનેશભાઈ, જીલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને સણાલી સરપંચ રમેશભાઈ સોઢા, મહામંત્રી રણજીતસિંહ સોઢા, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિંહ સોઢા, પુર્વ જીલ્લા મહામંત્રી નરેશભાઈ શાહ, તાલુકા પંચાયતના અધ્યક્ષ જેતસિહ પરમાર, મંત્રી વિનોદભાઈ, બુધાભાઇ, શીવાભાઈ તથા વિક્રમસિંહ રાઓલ ઉપસ્થિત રહયા હતા. તેમજ સ્થાનિકો ને સરકારી યોજનાની કાર્યપધ્ધતિથીં માહીતગાર કર્યાં હતાં.