મહુવા તાલુકા ની કઈ હોસ્પિટલ માં યુવક નું આશાસ્પદ મૃત્યુ હોસ્પીટલ ની બેદરકારી કે બીજું કારણ ?

મહુવા ગાંધીબાગ વિસ્તારમાં નાનો મોટો વ્યવસાય કરતા આશાસ્પદ યુવાન નું સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર બાદ મોત થતા ફેલાઈ ગમગીની

       મહુવાના આશાસ્પદ યુવાન ગાંધીબાગ વિસ્તારમાં નાનો મોટો વ્યવસાય કરતા ગાંધીબાગ ની પાછળ રહેતા સંજય ગોહિલ નામના યુવકની સદભાવના હોસ્પિટલ ખાતે પથરીના ઓપરેશન ની સાર વાર થઈ હતી અને સારવાર બાદ તેઓને બહાર લાવી બેડ ઉપર રાખવા મા આવેલ ત્યારે તેની સ્થિતિ નોર્મલ હતી પરંતુ અચાનક જ તેઓનું શરીર ગરમ થવા લાગ્યું અને થોડી ક્ષણોમાં તેઓ મૃત્યુ પામ્યા હતા ઘટનાની જાણ ડોક્ટરોને કરાતા ડોક્ટરોએ તરત જ મહુવા ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવી પંપિંગ સહિતની કાર્યવાહી કરી હતીપરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા તેમના સગા વાલા અને મિત્રો સર્કલ દોડી આવી દોડી આવ્યા હતા અને હંગામો મચાવી આ મોત કોઈ રિએક્શનના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો તેથી મૃતકને પહેલાં સરકારી હોસ્પિટલ અને બાદમાં પેનલ પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ જોકે મૃત્યુનું સાચું કારણ પીએમ બાદજ ખબર પડે તેમ છે પણ સંજયભાઈ ગોહિલ ના મૃત્યુથી ગાંધીબાગ વિસ્તારમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર