ઉદરા ગામમાં બનાવેલા બ્રિજમા ગયેલી જમીનનું વળતર માટે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

મહુધા તાલુકાના ઉંદરા ગામે વર્ષ 2015માં મોહોર નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ સમયે ખેડૂતોની જમીન બ્રિજમાં ગઈ હતી તે ખેડૂતોને અધિકારીઓ દ્વારા વળતર મળશે તેવી બાહેધરી આપી હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષ થવા છતાં ખેડૂતોની જે જમીન ગઈ છે તેનું વળતર આજની સુધી મળ્યું નથી અધિકારી દ્વારા ફક્ત ખેડૂતોને પત્ર ઉપર જવાબ આવે છે પરંતુ વળતર બાબતે કોઈ જવાબ આપતા નથી ખેડૂતો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર નાયબ પેટાએ ઇજનેર સહિતને લેખિતમાં અનેક વખત રજૂઆત કરી તો પણ માત્ર જવાબ શૂન્ય ખેડૂતોની માગણી છે કે અમને અમારી જમીનનું વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે .રિપોર્ટ ઈરફાન મલેક