રોટરી ક્લબ ઓફ હળવદ અને શ્રી શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ હળવદ દ્વારા આયોજિત આજરોજ હળવદ માં શ્રી શણેશ્ચર મહાદેવ મંદિર ના હોલ મા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં 108 બોટલ રક્ત એકત્રી થયેલ આ રક્ત સુરેન્દ્રનગર ની સી.યુ. શાહ હોસ્પિટલ ની બ્લડ બેન્ક ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો ને આપવામાં આવશે આ પ્રસંગે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સુરેશભાઈ પટેલ તથા .શ્રી શણેશ્વર મંદિરના પ્રમુખ નવલભાઇ શુક્લા. તથા તેમના સહ કાર્યકરો એ આ જહેમત ઉઠાવેલ .પ્રસંગે હરિકૃષ્ણ ધામ રણજીતગઢના તપોમૂર્તિ સદગુરુ શ્રી ભક્તિ હરીદાસજી સ્વામી તથા સંતોએ દીપ પ્રાગટ્ય કરેલ .તેમજ રોટરી ક્લબના રાજભા રાણા રાજુભાઈ ઝાલા. નરેશ રાવલ ગજેન્દ્રભાઈ .ઉર્વશીબેન પંડ્યા રમેશભાઈ પટેલ તપનભાઈ દવે રોહિતભાઈ મેંઢા વગેરે ઉપસ્થિત રહેલા

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ