સમગ્ર હિન્દુસ્તાનમાં સ્વચ્છ સાગર – સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત મહુવા તાલુકાનાં વિસ્તારના અલગ અલગ ૧૪ સાગર કાંઠા ઉપર સફાઇ કરવામાં આવી. જેમાં મુખ્યત્વે ઊંચા કોટડા- દયાળ- કળસાર-નૈપ-નિકોલ-ઢસિયા-ભવાની-કતપર-બંદર-લાઈટહાઉસ-વિજળીબારા-ગઢડા -ખરેડ-પીંગલેશ્વર-દુઘેરી-ડોળિયા-ગુજરડા-દુઘેરી- ગામોના સાગર કાંઠામાં સફાઇ કરવામાં આવી. જેમાં સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા વ્યક્તિગત, એનજીઓ જેવા વિવિધ લોકો જોડાયા હતાં