મહુવા થી વરતેજ ઈમામ કુવા પગપાળા જવા શિયા ખોજા મુસ્લીમ સમાજ ના લોકો આજે સવારે રવાના થયા 

હઝરત ઈમામ હુસૈનની યાદમાં મહુવા થી વરતેજ ઈમામ કુવા પગપાળા જવા માટે 1500 જેટલા ગુરૂવારે સવારે 7 કલાકે રવાના થયા છે

હઝરત ઈમામ હુસૈન ઈનસાનીયત બચાવવા માટે 72 સાથી સાથે શહીદી વ્હોરી હતી

જુલ્મ સામે આવાજ ઉઠાવ્યો હતો તેમાં ઈમામ હુસૈને શહાદત વ્હોરી હતી તેની યાદ માં ગમ માનવામાં આવેછે તેમજ માતમ મજલીશ કરવામાં આવેછે

ત્યારે મહુવા થી વરતેજ ઈમામ કુવા પગપાળા 100 કીલોમીટર ચાલી ને લોકો નીકળ્યા છે તે શનીવારે ઇમામ કુવા વરતેજ પહોંચી જશે