સિહોર સહિત જિલ્લા અને રાજયભરના આંગણવાડી કર્મચારીઓ/આશાવર્કરોના પગાર સહિતના અણઉકેલ પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી અઘ્ધરતાલ લટકી રહ્યા છે. આ પ્રશ્નો હલ કરવા માંગ ઉઠાવી કર્મચારી આગેવાનો દ્વારા છેલ્લા લાંબા સમયથી રાજય સરકારમાં રજુઆતો કરવામાં આવી રહી છે. પરંતુ તેને હજુ સુધી મચક મળવા પામી નથી. ત્યારે આંગણવાડી કર્મચારીઓ હવે સરકાર સામે બાંયો ચડાવી આંદોલનનાં મંડાણ કર્યા છે. સિહોર સહિત જિલ્લા અને રાજયના તમામ આંગણવાડી કર્મચારીઓ આજથી ત્રણ દિવસની હડતાલ પર ઉતરી ગયા છે, આજે આંગણવાડી કર્મચારીઓએ જિલ્લાના તમામ તાલુકા મથકો પર રલી યોજી સીડીઓને આવેદનપત્ર સુપ્રત કર્યા હતા. જયારે આવતીકાલે જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી કર્મચારીઓ દ્રારા ઘરણા દૈખાવો કરવામાં આવનાર છે. અહીં ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નોનો તેઓને સરકારી નોકરીયાતોને મળતા લઘુતમ વેતન મુજબ વેતન આપવું. તેમજ વચગાળાની રાહતરૂપે મળતા રૂ।. 7800માં વધારો કરી રૂ, 12 હજાર કરવા, હેલ્પરને મળતા રા, 3900નો વધારો કરી રૂ, 7500 કસવા સહિતની માંગણીઓ તેઓની છેલ્લા લાંબા સમયથી પેન્ડીંગ છે. આંગણવાડી કર્મચારી સંગઠનના હોદેદારોએ વિશેષમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં આપ સરકાર ટ્રારા આંગણવાડી કર્મચારીઓને ફા. 11500, હરિયાણામાં બીજેપી સરકાર દ્વારા રૂ, 11000 તથા 1500નો વઘારો 2022માં કરી આપવામાં આવેલ છે.આ ઉપરાંત મધ્યપ્રદિશ સરકાર સહિત 11 રાજયોની સરકાર દ્રારા પણ આંગણવાડી કર્મચારીઓને રૂ।. 11000નું વેતન આપવામાં આવી રહ્યુંછે. માત્ર ગુજરાત જ એવું રાજય છે કે તેનું પુરતુ વેતન આપવામાં આવતું નથી, આ ઉપરાંત વર્કરમાંથી સુપરવાઇઝરનું અને હહ્પરમાંથી વર્કરનું પ્રમોશન 30 ટકાની જગ્યા પર આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રનો અમલ કરવામાં આવતો નથી. કર્મચારીઓની વયમર્યાદા અન્ય રાજયોમાં 60 વર્ષ છે જયારે માત્ર ગજરાતમાં જ 58 વર્ષ રાખવામાં આવેલ છે તેમાં પણ કર્મચારીઓને અન્યાય થઇ