ભુજ, રાજ્યના સૌથી જૂના કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. શેફાલિકા અવસ્થીની બદલી જૂનાગઢ મ્યુઝિયમ ખાતે કરાઈ છે, તેમના સ્થાને જામનગર પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર બૂલબૂલ હિંગરાજિયાને ભુજ મુકાયા છે.ભગવત પુરાણના દશમસ્કંધનાં ચિત્રો પર મહાનિબંધ લખી પીએચ.ડી. થયેલા શેફાલિકાબેનને અનુસ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તેમણે અનેક સેમિનાર, વેબિનારમાં શોધપત્રો રજૂકર્યા છે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં લેખ પ્રકાશિત થયા છે. પોતાના કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેના કાર્યકાળ દરમ્યાન મ્યુઝિયમને લોકભોગ્ય બનાવવાના અનેક પગલાંઓ ભરી લોકચાહના મેળવી હતી. સંગ્રહાલયમાં નમૂનાઓને વિશિષ્ઠ રીતે પ્રદર્શિત કરવા, સમયાંતરે તેની ફેરબદલી કરી સંગ્રહાલયને જીવંત રાખવા પ્રયાસ કર્યો હતો. સંગ્રહાલયમાં આવતાં બાળકો માટે ખાસ અલાયદો બાલ વિભાગનો આરંભ કર્યો હતો. કોરોનાકાળ સમયે અનેક વેબિનારમાં કચ્છ મ્યુઝિયમના સંગ્રહ વિશે લોકોને અવગત કર્યા હતા. આ ઉપરાંત મ્યુઝિયમ સપ્તાહ, વિશ્વ વારસા દિન, સંગ્રહાલય સ્થાપના દિન, યોગ દિવસ, જળદિન, પર્યાવરણ દિવસ જેવા દિવસોની ઉજવણી વિશિષ્ઠ રીતે શાળાનાં બાળકો અને શહેરના લોકોને સાથે રાખીને કરવાની પરંપરા રાખી હતી. તો ભુજ શહેરના સ્થાપત્યો, મંદિરોથી નગરના લોકો અને ભુજ આવતા મુલાકાતીઓ અવગત થાય એ માટે ખાસ હેરિટેઝ વોકનો પણ આરંભ કરાવ્યો હતો. સ્વચ્છતા તરફ પણ લોક જાગૃતિ કેળવવા સંગ્રહાલયમાં આવેલા બગીચાનું નવીનીકરણ કરાવી તેમાં વિવિધ ફૂલ-છોડનું વૃક્ષારોપણ પણ શાળાનાં બાળકોના હાથે દરેક ફૂલ-છોડની સમજ સાથે વિશિષ્ઠ રીતે કરાવ્યું હતું. તો સફાઈ માટે ભુજ નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓ માટેની સ્વચ્છતા માટેની સ્પર્ધામાં કચ્છ મ્યુઝિયમનો પ્રથમ નંબર આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, કચ્છમિત્ર તથા ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આરંભાયેલા યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શનના ખાસ સંવાદના બીજા મણકામાં તેમણે યુવાનોનું માર્ગદર્શન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  खत्म होने जा रहा इंतजार! Samsung कल लॉन्च करेगा Galaxy A55 और A35 स्मार्टफोन 
 
                      सैमसंग कल यानी 11 मार्च 2024 को अपने भारतीय ग्राहकों के लिए दो नए फोन लॉन्च करने जा रहा है। जी...
                  
   *રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા પાલનપુરની મુસ્લિમ યુવતી ગુમ થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.*  
 
                      *રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા પાલનપુરની મુસ્લિમ યુવતી ગુમ થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ...
                  
   લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું 
 
                      સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું...
                  
   સિદ્ધુ મુસેવાલાના પિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું
 
 
                      સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ તેના પિતા બલકૌર સિંહ મૂઝવાલાના સત્તાવાર એકાઉન્ટ દ્વારા જ લોકોના...
                  
   
  
  
  
 