સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની યશકલગીમાં એક ઓર પીંછું ઉમેરાશે ગૌતમ ત્રકષિના નામ પરથી ગૌતમી નદીનું અનેક રીતે મહત્વ : તંત્ર દ્વારા જરૂર છે સક્રિય પ્રયાસોની સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. એતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ સિહોરનું એક અનેરું મહત્વ છે. સિહોરની એતિહાસિક જાહોજલાલી જવલંત હતી એના એતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો એતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે અને સુવિધાની બાબતમાં પણ સિહોરનું તંત્ર ઊંઘતું હોય એવો લોકોને ભાસ થઇ રહ્યો છે. સિહોરમાં ગૌતમ ત્રકષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું હતુ. સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના એતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. આમેય તે સિહોરના મોટાભાગના સ્થળોની રોનક ઝંખવાતી જાય છે અને આ જ રોડ પર પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিহুক বিকৃত ৰূপত উপস্থাপন, নাজিৰাত বিহু সুৰক্ষা সমিতিৰ প্ৰতিবাদ
ভাৰত চৰকাৰৰ উদ্যোগত ফিট ইণ্ডিয়া কাৰ্যসূচীত অসমৰ বিহুক বিকৃত ৰূপত উপস্থাপন কৰাৰ বিৰুদ্ধে ৰাজ্যজুৰি...
जनहित समस्याओं को लेकर किसान कांग्रेस कमेटी ब्लॉक अध्यक्ष कल्लू पटेल के नेतृत्व में पन्ना कलेक्टर के नाम पर गुनौर तहसीलदार को सोपा ज्ञापन
जनहित समस्याओं को लेकर किसान कांग्रेस कमेटी ब्लॉक गुनौर ने सौंपा ज्ञापन
किसान कांग्रेस कमेटी...
আজিৰে পৰা বৰখালাত ডা°ৰামদত্ত বুজৰবৰুৱা আৰু ভূপেন শৰ্মা সোঁৱৰণী ফুটবল আৰম্ভ
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ উদ্যোগত আয়োজিত ৩৪ তম বৰ্ষৰ বিংশতম বাৰ্ষিক ডা°ৰামদত্ত বুজৰবৰুৱা...
આ દિવસથી દિલ્હીમાં ખાનગી દારૂના કોન્ટ્રાક્ટ બંધ થશે, 300 સરકારી દુકાનો ખુલશે
રાષ્ટ્રીય રાજધાનીમાં, ખાનગી દારૂની દુકાનો હવે દિલ્હી સરકારના 300 થી વધુ આઉટલેટ્સ દ્વારા બદલવામાં...