સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બને તો શહેરીજનોને રમણિય સ્થળ મળે રિવર ફ્રન્ટની સુવિધાથી સિહોરની યશકલગીમાં એક ઓર પીંછું ઉમેરાશે ગૌતમ ત્રકષિના નામ પરથી ગૌતમી નદીનું અનેક રીતે મહત્વ : તંત્ર દ્વારા જરૂર છે સક્રિય પ્રયાસોની સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. એતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ સિહોરનું એક અનેરું મહત્વ છે. સિહોરની એતિહાસિક જાહોજલાલી જવલંત હતી એના એતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો એતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે અને સુવિધાની બાબતમાં પણ સિહોરનું તંત્ર ઊંઘતું હોય એવો લોકોને ભાસ થઇ રહ્યો છે. સિહોરમાં ગૌતમ ત્રકષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું હતુ. સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવર ફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે. અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના એતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. આમેય તે સિહોરના મોટાભાગના સ્થળોની રોનક ઝંખવાતી જાય છે અને આ જ રોડ પર પ્રખ્યાત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદ વિસ્તારમાં દસ દિવસમાં દુષ્કર્મ ,અને સગીરાને ભગાડી જવાના સહીત ત્રણ બનાવો નોધાયા
પેટલાદ વિસ્તારમાં દસ દિવસમાં દુષ્કર્મ ,અને સગીરાને ભગાડી જવાના સહીત ત્રણ બનાવો નોધાયા
राहुल को आतंकी कहने पर केंद्रीय मंत्री बिट्टू पर FIR:मंत्री बोले- संसद में भी बोलूंगा, गांधी परिवार ने पंजाब को जलाया
राहुल गांधी के खिलाफ विवादित टिप्पणी करने पर केंद्रीय मंत्री रवनीत सिंह बिट्टू के खिलाफ FIR दर्ज...
પોરબંદરના પત્રકાર પર થયેલા હુમલાની ઘટનાને લઈને CM ને આવેદન પાઠવી રજૂઆત કરાય
પોરબંદરના પત્રકાર પર થયેલા હુમલાની ઘટનાને લઈને CM ને આવેદન પાઠવી રજૂઆત કરાય
वादग्रस्त विधान करणाऱ्या संभाजी भिडेवर गुन्हा दाखल करा; 'वंचित'च्या प्रदेशाध्यक्ष रेखाताई ठाकूर यांची मागणी
साम टिव्हीच्या महिला पत्रकार रुपाली बडवे यांनी टिकली लावली नाही म्हणून प्रतिक्रिया देण्यास नकार...
પ્રેમિકા ને મળવા જવાનું પડ્યું ભારે વિડિયો થયો સોશીયલ મિડીયા પર વાયરલ...........
ડીસામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડ્યું:*
ગ્રામજનોએ પ્રેમીને પકડી ટપલી...