દેશમાં આત્મહત્યાના બનાવોમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે. આજના ફાસ્ટ જમાનામાં જેટલી સુવિધાઓ છે તેટલી જ તકલીફોમાં પણ વધારો થયો છે. તાજેતરમાં આત્મહત્યાનો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો. પહેલા તો સૌ કોઇએ એવું જ વિચાર્યું કે આ શખ્સ દ્વારા કોઇ સ્ટન્ટ થઇ રહ્યો છે. પોતાની કોઇ માગણી મનાવવા માટે આ થઇ રહ્યું છે. પરંતુ જોત જોતામાં તેણે મોબાઈલ ટાવર પરથી પડતું મુકી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના એક મોબાઈલ ટાવર પરથી એક યુવકે પડતું મુક્યું હતું, જેનો વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ યુવકનો આપઘાત કરતો વિડીયો વાયરલ થતા ઘટનાસ્થળ પર હાજર લોકોની ચીખો નીકળી ગઇ હતી. વિસ્તારથી વાત કરીએ તો, અમદાવાદના મણિનગરમાં એક યુવક મોબાઇલના ટાવર ઉપર ચડી ગયો હતો અને થોડી જ વારમાં ટાવર ઉપરથી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. સાથોસાથ જાણવા મળ્યું છે કે, યુવકે આપઘાત કર્યો એ પહેલા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ કોઈ પગલા ભરે તે પહેલા જ યુવકે ટાવર પરથી ઝંપલાવી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, યુવકે જેવું પડતું મુક્યું કે તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જે સમયે તે મોબાઈલ ટાવર પર ઉભો હતો ત્યારે ત્યા પોલિસ અને ફાયર વિભાગની ટીમ હાજર હતી. તેમણે આ યુવકને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. વળી તેને ટાવર પરથી નીચે ઉતારવા નેટ જાળીનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, યુવકને લોકોએ ઘણું સમજાવ્યો છતાં નીચે ઉતર્યો નહીં અને આપઘાત કરી લીધો. આ ઘટના આશરે ભર બપોરના સમયે બની હતી. હિન્દી ફિલ્મની સ્ટાઈલથી યુવક આ મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, શખ્સ ગણતરીની સેકન્ડોમાં ટાવર ઉપરથી નીચે પડતું મુકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તેરાપંથ ભવન ખાતે સાધ્વી શ્રી પમીલા કુમારી આધ્યાત્મિક વ્યાખ્યાન યોજાયું
ખેડબ્રહ્મા તેરાપંથ ભવન ખાતે પ્રવાસિત આચાર્ય શ્રી મહાશ્રમણજીના આજ્ઞાનું વર્તી શિષ્યા સાધ્વી શ્રી...
મિશન મધમાખી અંતર્ગત એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ, સાબરકાંઠા જિલ્લાના ૧૦૦થી વધુ ખેડૂતોએ ભાગ લીધો
(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ વદરાડ...
हार्दीक जोशीने रस्त्यावरील श्वानला दिले जीवनदान
हार्दीक जोशीने रस्त्यावरील श्वानला दिले जीवनदान | Hardik Josh's Pet Love
जिला स्तरीय जनसुनवाई में किया आमजन की परिवेदनाओं का निस्तारण -जनसुनवाई में प्राप्त हुए 25 प्रकरण
आमजन की समस्याओं के त्वरित समाधान के लिए राज्य सरकार के निर्देशानुसार गुरुवार को जिला कलेक्ट्रेट...
চৰাইদেউত চলিল অৱকাৰী বিভাগৰ অভিযান
চৰাইদেউত চলিল অৱকাৰী বিভাগৰ অভিযান