ચાલુ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામા ચોમાસાની સિઝનમાં કોરોનાની સાથે સિઝનલ ફ્લુ(સ્વાઇન ફ્લુ)ના રોગચાળાએ માથુ ઉચક્યુ છે. સ્વાઇન ફ્લુની બિમારીનો પાયો શરદી-ખાંસી અને તાવની બિમારી છે. ભાવનગર શહેરમાં આજે સિઝનલ ફ્લુથી વધુ એક મોત થયું છે. જેમાં શહેરમાં સંસ્કાર મંડળ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું સ્વાઇન ફ્લુથી મોત થયું છે. 14 ઓગસ્જ્યાટથી શહેરમાં સ્વાઇન ફ્લુથી મોતનો સિલસિલો શરૂ થયો છે અને છેલ્લાં 24 દિવસ દરમિયાન 7 દર્દીના સ્વાઇન ફ્લુથી મોત થયા છે. શહેરમાં ફ્લુના નવા પાંચ કેસ અને ગ્રામ્ય કક્ષાએ નવા બે કેસ નોંધાયા હતા. કોરોનામાં આજે શહેરમાં બે નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.છેલ્લા કેટલાક દિવસથી સ્વાઈનફલૂ ભાવનગરમાં વકરી રહ્યો છે. દિવસે દિવસે તેના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેથી લોકોની ચિંતા વધી છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં સ્વાઈનફલૂના 7 નવા કેસ નોંધાયા છે, શહેરમમાં વધુ 1 વ્યકિતના સ્વાઈનફલૂથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાની સકંજો નરમ પડી ગયો છે તો બીજી તરફ સ્વાઇન ફ્લુનો ખતરો ગંભીર રીતે વધી રહ્યો છે જે ચિંતાજનક છે. શહેરમાં આજે અભિષેક સોસાયટીમાં 46 વર્ષીય મહિલા, સંસ્કાર મંડળમાં 70 વર્ષીય વૃદ્ધ, સરદારનગરમાં 43 વર્ષીય પુરૂષ, જમનાકુંડમાં 51 વર્ષીય મહિલા અને તિલકનગરમાં 58 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ ભાવનગર શહેરમાં ફ્લુના કુલ 58 દર્દી નોંધાયા છે અને તે પૈકી 8ના મોત થયા છે જ્યારે 13 દર્દી સારવારમાં છે અને 37 દર્દી સાજા થઇ ગયા છે. આજે શહેરમાં કોરોનાના પણ બે કેસ નોંધાયા જેમાં ડોન ચોકમાં 47 વર્ષીય પુરૂષ તથા ઘોઘા સર્કલમાં 31 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે સ્વાઇન ફ્લુના નવા બે કેસ નોંધાયા છે જેમાં પાલિતાણાના 37 વર્ષીય પુરૂષ તથા ભાવનગરના તગડીના 32 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 30 કેસ નોંધાયા તે પૈકી 16 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 12 દર્દી સારવારમાં છે તેમજ 2ના મોત થયા છે. સ્વાઈનફલૂના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે. સ્વાઈનફલૂમાં પણ મોટાભાગના લક્ષણો કોરોના જેવા જ હોય છે ત્યારે બિમાર લોકોએ તત્કાલ રીપોર્ટ કરાવી લઈ સારવાર કરાવવી જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बद्रीनाथधाम के सरस्वती मंदिर में स्थापित होगी भारतरत्न लता मंगेशकर की स्वर्ण कांस्य प्रतिमा
पुणे: विश्वशांति केंद्र और एमआईटी वर्ल्ड पीस यूनिवर्सिटी की ओर से बद्रीनाथधाम के माणा गाव में...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ
આજરોજ ઝાલોદ...
PM Kisan 17th Installment Date 2024 | PM Kisan 17th installment kab milega & status Check 2024
PM Kisan 17th Installment Date 2024 | PM Kisan 17th installment kab milega & status Check 2024
'भारतीयों पर कूड़ा फेंका, नारे लगाए' Diwali के जश्न में Khalistan Supporters ने बवाल मचा दिया|Canada
'भारतीयों पर कूड़ा फेंका, नारे लगाए' Diwali के जश्न में Khalistan Supporters ने बवाल मचा दिया|Canada
स्वाभिमानी रिपब्लिकन पक्ष आष्टी तालुका उपाध्यक्ष पदी दिपक गायकवाड यांची निवड
आष्टी प्रतिनिधी : तालुक्यातील कडा येथील बौध्द विहारात स्वाभिमानी रिपब्लिकन पक्षाच्या वतीने बुधवार...