ગોકુલધામ નાર ખાતે ગણેશ વિસર્જન મહોત્સવ યોજાયો

 આપણી પરંપરાગત ઉત્સવોની હારમાળામાં સર્વમાન્યદેવ ગણેશ મહોત્સવનું અનેરૂ મહત્વ હોય છે. સ્વામિનારાયણ ગોકુલધામ-નાર ખાતે સ્કૂલનાં ૬૫૦ બાળકો તેમજ દર્શનાર્થીઓ શિક્ષકો દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્કૂલના બાળકો દ્વારા અન્નકૂટઅપર્ણ કરવામાં આવ્યો હતો. સાધુ શુકદેવપ્રસાદ દાસજી ની હાજરીમાં પૂજારી અનમોલ મહારાજ દ્વારા પૂંજન કરાવવામાં આવ્યું હતું. ડી.જે. નાં તાલે નાચતા-ગાતા વિસર્જન કરવામાં આવ્યું હતું. 

 સમગ્ર પ્રસંગનું આયોજન પ્રિન્સીપાલ ભાવસાર સાહેબ, મહેશભાઇ ઠાકર તથા સંદિપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.