શ્રીલંકાના મન્નારમાં માછીમારોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. પરિસ્થિત એ છે કે અહીંના માછીમારોને જીવિત રહેવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. પેટ્રોલિયમની તીવ્ર અછતને કારણે માછીમારો કેરોસીન ખરીદી શકતા નથી, જેના કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકામાં માછીમારો આજીવિકા પૂરી પાડતી બોટ ચલાવવા માટે ખૂબ જ જરૂરી કેરોસીન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેરોસીનની અછતના કારણે માછીમારો પોતાની બોટમાં બેસીને જતા હતા. તેઓ હવે મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે.....જેથી જ્યાં પહેલા બોટ દીઠ 15 કામદારો હતા ત્યાં હવે 40 છે...મહિનાઓ સુધી, મન્નારમાં કેરોસીન ઉપલબ્ધ નહોતું કારણ કે દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયું હતું ... થોડા અઠવાડિયા પહેલા જ્યારે પુરવઠો ફરી શરૂ થયો ત્યારે કેરોસીનના ભાવ લગભગ ચાર ગણા વધી ગયા હતા, કારણ કે શ્રીલંકાએ ઇંધણ સબસિડી નાબૂદ કરવાનું શરૂ કર્યું હતું. કેરોસીન અગાઉ રૂ. 87 પ્રતિ લીટરના ડિસ્કાઉન્ટ ભાવે વેચાતું હતું, , અને હવે સરકારી દરે રૂ. 340 પ્રતિ લીટર ભાવે વેચાય છે. કેરોસીન કાળા બજારમાં રૂ. 1,800 પ્રતિ લિટર વેચાય છે.