સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે રહેતા 26 વર્ષીય યુવકની પત્ની અન્ય યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. આ બનાવથી લાગી આવતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં આત્મહત્યા કરતાં પહેલાં યુવાને આ અંગેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેનો મિત્ર જ તેની ગર્ભવતી પત્નીને ભગાડી ગયાની અને જાતિ અંગે અપમાનિત કરતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લખતર પોલીસ મથકે મૃતક પુત્રના મિત્ર અને પોતાના પરિવારની પરિણીતાને ભગાડી જનારા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્નોએ માઝા મૂકી છે. યુવક અને યુવતી ક્ષણિક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને લગ્ન બાદ કાં તો યુવકને અથવા તો યુવતીને પસ્તાવાનો વારો આવે છે. ત્યારે આવા જ એક આંતરજ્ઞાતિય લગ્નમાં લખતર તાલુકાના વરસાણી ગામના યુવાનને આત્મહત્યા કરવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ગોઝારા બનાવની મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વરસાણી ગામના અશ્વિનભાઈ રાજાભાઈ મકવાણાએ વઢવાણ તાલુકાના દેદાદરા ગામના કાળુભાઈ ભલુભાઈ પનારાની પુત્રી જ્યોત્સના સાથે 3 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં.26મી ઓગસ્ટના રોજ લખતર ગેસનો બાટલો ભરાવવા ગયેલો અશ્વિન ઘરે આવતા 6 માસનો ગર્ભ ધરાવતી જ્યોત્સના નજરે ન પડતાં તેના પરિવારજનોને પૂછતા તે પિયર ગઈ હોવાનું જણાવ્યું હતું. આથી શંકા જતા દશરથના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો. જેના લીધે દશરથ જ જ્યોત્સનાને ભગાડી ગયાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ અશ્વિનભાઈએ લખતર પોલીસ મથકે તા. 26 ઓગસ્ટના રોજ આ અંગે ફરિયાદ પણ આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે અશ્વિને ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કપાસમાં છાંટવાની મોનોકોટા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતાં પહેલાં તેણે એક વીડીયો પણ વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર હકીકત વર્ણવી હતી. આ બનાવમાં મૃતક અશ્વિનભાઈના પિતા રાજાભાઈ વાલાભાઈ મકવાણાએ લખતર પોલીસ મથકે દશરથભાઈ રાતોજા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એસટીએસ સી સેલના ડીવાયએસપી વી.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम राइज विद्यालय ककरहटी में हर्षोल्लास के साथ मनाया गया वार्षिक उत्सव
सी एम राइज विद्यालय ककरहटी में हर्षोल्लास से मनाया गया वार्षिक उत्सव
ककरहटी - ककरहटी के...
Sharad Pawar यांनी सांगितलं Ajit Pawar NCP च्या सभेतून निघून गेले ते प्रकरण काय होतं| Supriya Sule
Sharad Pawar यांनी सांगितलं Ajit Pawar NCP च्या सभेतून निघून गेले ते प्रकरण काय होतं| Supriya Sule
অসম যুৱ অলিম্পিকত ধেমাজি গোগামুখৰ হেমাংগ বৰগোহাঁইৰ স্বৰ্ণ পদক লাভঃ
ধেমাজি জিলাৰ গোগামুখ চাউলধোৱা বালি গাঁৱৰ হেমাংগ বৰগোহাঁইয়ে অসম যুৱ অলিম্পিকত হাই জাম্পত স্বৰ্ণ...
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)
साइबर अपराध पर रोकथाम के लिए लोगों को जागरूक होने की जरूरत - डॉ. यादव
साइबर अपराध पर रोकथाम के लिए लोगों को जागरूक होने की जरूरत - डॉ. यादवमानसिक स्वास्थ्य और साइबर...