પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ગઇકાલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પો.કો. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે, ’’ મહારાષ્ટ્ર રાજયનાં નંદુરબાર જિલ્લાનાં નવાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૨૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ- ૩૭૯,૩૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી ઇરફાન ઉર્ફે ગુણીયો ઉસ્માનભાઇ કાલ્વા રહે.અલ્કા ટોકિઝ પાસે,ભાવનગરવાળા રાણીનાં સ્મશાન પાસે,મોતીતળાવ,કુંભારવાડા,ભાવનગર ખાતે હાજર છે. જે માહિતી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ મોતીતળાવ,કુંભારવાડા જઇ આરોપીની તપાસ કરતાં *નાસતાં-ફરતાં આરોપી ઇરફાન ઉર્ફે ગુણીયો ઉસ્માનભાઇ કાલ્વા ઉ.વ.૩૨ ધંધો-ભંગારનો રહે. ચબુતરા પાસે, વડવા, કાછીયાવાડ, ભાવનગર*વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. જે અંગે મહારાષ્ટ્ર પોલીસને આરોપીનો કબ્જો લેવા માટે જાણ કરવામાં આવેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, ભહિપાલસિંહ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ