માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક રવિવારની ઉજવણી સેવાકાર્ય દ્વારા થતી હોય છે ત્યારે માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક ખવડાવીને માહી ગ્રુપ ના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.

તેમજ માહી ચેરીટેબલ ટ્રસ્ટ (માહી ગ્રુપ) તેમજ  જલારામ સેવા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની જાહેર જનતા માટે  કુદરતી અલૌકિક પદ્ધતિથી કસરત દ્વારા એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં  હાથ ,પગ ,ગોઠણ ,કોણી , ગરદન ,એડી ના દુઃખાવા , સાઇટીકા ,મણકા ની તકલીફ ,પેટ ના દર્દો ,પડખા નો દુખાવો, પેચોટી ની તકલીફ ,શરીર મા કોઇ નસ દબાતી હોય ,હાથ પગ મા ખાલી ચડતી હોય ,માથાનો દુખાવો- માઇગ્રેન ,પથરી, થાઇરોડ  વગેરે રોગોની સારવાર દવા વગર ફક્ત અને ફક્ત માત્ર કસરત થી દુર કરવામા આવલ..
જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં સારો એવો લાભ લીધેલ અને વિનામૂલ્ય નિસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી અરવિંદભાઈ ની ટીમ ના સભ્યો દ્વારા જેમાં રમણીકભાઇ દેવાણી, ગોહેલ સાહેબ, વિજયભાઈ જુંગી,રમેશભાઈ દવે,
 મહેન્દ્રભાઈ માંડલિયા,રામભાઈ ટુકડિયા 
 વિમલભાઈ શાહ દ્વારા નિસ્વાર્થ ભાવે દર્દીઓને સેવા આપવામાં આવેલ.

ઉપરોક્ત કેમ્પનું આયોજન દર રવિવારે નવું જલારામ મંદિર સવારે 10:30 થી 12:30 તેમજ ગોપનાથ મંદિર કોર્ટની પાછળ 3:30 થી 6:00 કરવામાં આવેછે તો પોરબંદર ની જાહેર જનતાને  વિનંતી છે કે દરેક જરૂરિયાત મંદ લોકો આ કેમ્પનો અવશ્ય લાભ લેવો.

 ઉપરોક્ત સેવાકાર્ય માહી ગ્રુપ ના સભ્ય મિત્ર સ્વ. રમેશભાઈ નારણભાઈ ગોહેલના સ્મરણાર્થે રાખેલ