ભાજપ સરકારના સાશનમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ સહિતની સમસ્યાઓનો ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આગામી તા.7મીથી "ભારત જોડો યાત્રા” આયોજન કરવામાં આવ્યું છે. 3500 કિ.મી.ની આ પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાશે. "ભારત જોડો યાત્રા” અંગે પત્રકારોને માહિતી આપતા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીનાં પ્રવકતા દેવઆશિષે જણાવ્યું હતું કે, ભાજપના સાશનમાં છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી સાથે સામાજિક તણાવ, આર્થિક, અસમાનતા સાથે વિપક્ષનાં અવાજને દબાવવામાં આવી રહ્યો છે. દરરોજ દેશવાસીઓને અંદરો-અંદર લડાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો સહિતના અનેકવિધ મુદ્દાઓ બાબતે જનતાને જાગૃત કરવા તા.7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 કિ.મી.ની "ભારત જોડો યાત્રા” યોજાશે. આ યાત્રા 12 રાજયો અને 2 કેન્દ્ર શાસીત પ્રદેશોમાંથી પસાર થશે. યાત્રા આશરે 150 દિવસમાં પુરી થશે. તા.7મીએ તામિલનાડુના શ્રી પેરૂંબુદુર ખાતે રાજીવ ગાંધી સ્મારકમાં શ્રધ્ધાંજલી સાથે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધશે.તા.8મીએ સવારે કન્યાકુમારીથી રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત જોડો યાત્રાનો શુભારંભ થશે. પ્રવકતા દેવઆશીષે વધુમાં જણાવ્યું હતું કે, યાત્રામાં કોંગ્રેસના 100 પ્રદેશ નેતાઓ અને દેશભરનાં 118 યાત્રીકો કન્યાકુમારીથી કાશ્મીર જોડાશેે યાત્રા દરમિયાન બેરોજગારી, મોંઘવારી, સામે જનજાગૃતિ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જે રાજયોમાં યાત્રા પસાર નહી થાય તે રાજયમાં યાત્રાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામ ખાતે રહેતા દંપતીએ પેટે પાટા બાંધી મજૂરી કરીને પુત્રોને ભણાવ્યા બંને પુત્રોને લાગી સરકારી
ગાંધીધામ ખાતે રહેતા દંપતીએ પેટે પાટા બાંધી મજૂરી કરીને પુત્રોને ભણાવ્યા બંને પુત્રોને લાગી સરકારી
દુબઈ / ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, જાણો કયા દિવસે ભક્તો માટે ખોલવામાં આવશે
હિન્દુ સમુદાયની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. આ મંદિર આગામી 5મી ઓક્ટોબરે હિન્દુઓના મુખ્ય...
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી #porbandar #madhavpur #crime #news #gujaratnews
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી #porbandar #madhavpur #crime #news #gujaratnews
Allergic Rhinitis यानी बार-बार होने वाली एलर्जी से परेशान हैं? तुरंत ये काम करें | Sehat ep 397
Allergic Rhinitis यानी बार-बार होने वाली एलर्जी से परेशान हैं? तुरंत ये काम करें | Sehat ep 397
एक दिवसीय रोजगार सहायता शिविर28 अगस्त को
जिला रोजगार कार्यालय की ओर से 28 अगस्त को होटल शगुन, पावर हाउस के सामने, नैनवां रोड़ पर सुबह 10...