સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના હાંસલપુર ખાતે અમરદીપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહિલા માનસિક દિવ્યાંગ આશ્રમનુ ઉદધાટન અનંત વિભૂષિત સદગુરુ સૂર્યાચાર્ય કૃષ્ણદેવ નંદગીરી મહારાજ પીઠાઘીવ્રર સૂર્યપીઠ સ્વાસ્થન મોરલી આશ્રમ દ્વારકાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.

 જેમાં મુખ્ય મહેમાન તરીકે બી.ઝેડ.સીઓ ગ્રુપ ભુપેન્દ્રસિંહ ઝાલા, નીતિનરાજ પવાર, , અરવલ્લી જિલ્લા ભાજપ પ્રભારીશ્રી નટુભાઈ એમ પરમાર, હાસલપુર ગ્રામ પંચાયતના સરપંચ અનિતાબેન પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે હસમુખ કુમાર પટેલ(યશવી સ્ટુડિયો), શશીકાંત મથુરભાઈ સોલંકી કોર્પોરેટર હિંમતનગર નગરપાલિકા, દીપકભાઈ વાઘેલા, પ્રિયંકાબેન, સંસ્થાના ટ્રસ્ટીશ્રી, પ્રમુખશ્રી સુરજભાઈ પરમાર, મંત્રીશ્રી કિરીટભાઈ પરમાર, ઉપપ્રમુખ છાયાબેન ચુડાસમા તથા આજુબાજુના ગામડામાંથી જાહેર જનતા આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી હતી.