જિન શાસનનો શણગાર પર્યુષણ પર્વ-7: દેશની બીજા નંબરની સોનગઢમાં પ્રસ્થાપિત થશે ભગવાન બાહુબલીની પ્રતિમા પ્રતિમા 400 ટન વજન ધરાવતા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારવામાં આવી છે ભારતદેશમાં સુપ્રસિધ્ધ પૂ.ગુરૂદેવશ્રી કાનજીસ્વામી અને બહેન ચંપાબેનની સાધનાભૂમિ અને સુર્વણપુરી તરીકે ઓળખાતું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું સોનગઢ ગામ જયા અનેક જૈન મંદિરો આવેલ છે. આ ગામમાં ભારતદેશની બીજા નંબરની બાહુબલી ભગવાનની ભવ્ય જિનબિમ્બ અને જમ્બુદ્રિપનું આયોજન કરવામાં આવેલ છે. સોનગઢ મુકામે કુન્દ કુન્દકહાન દિંગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા બાહુબલી ભગવાનની ગ્રેનાઇટના પત્થરની 41 ફુટ ઉંચાઇ ધરાવતી, 14 ફુટની પહોંળાઇ અને 7 ફુટની ઉંડાઇ ધરાવતી પ્રતિમાનું 41 ફુટની ઊંચી ટેકરી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આ પ્રતિમા બેંગ્લોરના બિદાડી ખાતેથી લાવવામાં આવેલ. આ પ્રતિમાં કંડારવા માટેના યોગ્ય પથ્થરોની શિલ્પીઓ દ્વારા શોધ કરવામાં આવી હતી. બેંગ્લોરના હાસન જિલ્લાના શ્રવણ બેલા ગોલામાં સૌથી ઉંચી પ્રતિમા જેવી જ પ્રતિમાના નિર્માણનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો. આ પ્રતિમા 400 ટન વજન ધરાવતા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારવામાં આવી છે. આ પથ્થર દેવાના હકલી પાસેના કોઇરામાંથી પ્રાપ્ત કરવામાં આવેલ હતો. આ પ્રતિમાના શિલ્પી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અશોક ગુડીકર છે. આ પ્રતિમાને 140 પેંડાવાળા વિશાળ ટ્રકમાં બેંગ્લોરથી લાવવામાં આવેલ અને દરેક શહેર અને ગામમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. બાહુબલી ભગવાનની ભારતમાં બીજા નંબર ભવ્ય પ્રતિમા લગભગ 45 દિવસે સુવર્ણપુરી ગામ સોનગઢ ગામે તા.10/6/2010નાં રોજ પહોંચતા તેમનો ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મહારાજ સાહેબ, મુનીવરો અને જૈન સમાજના મુમુક્ષો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સોનગઢ ગામને શણગારવામાં આવેલ, હેલીકોપ્ટર થી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Hyderabad अग्निकांड में 9 लोगों की जलकर मौत, आपस में भिड़े कांग्रेस-AIMIM कार्यकर्ता | Nampally Fire 
 
                      Hyderabad अग्निकांड में 9 लोगों की जलकर मौत, आपस में भिड़े कांग्रेस-AIMIM कार्यकर्ता | Nampally Fire
                  
   
'आप मुसलमानों को बेवकूफ क्यों बना रहे हैं?' असली हिंदुत्व को बचाने वाले अखिलेश यादव के बयान पर ओवैसी का सवाल 
 
                      तिरूपति (आंध्र प्रदेश),  ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (AIMIM) प्रमुख...
                  
   RCB vs GT: IPL का एक ही किंग! Virat Kohli के शतक से उथल-पुथल हुई आईपीएल की रिकॉर्ड बुक, कई दिग्गज छूटे पीछे 
 
                      आईपीएल का एक ही किंग और नाम विराट कोहली। बड़े मैच में बड़ी पारी खेलने वाला सुपरस्टार। 13 चौके, एक...
                  
   रोहा में लायंस क्लब,नगांव ग्रेटर और लॉटस टिएमटी बार के जरिए मोबाइल मेडिकल बस के जरिए स्वास्थ्य जांच शिविर
सैकड़ों लोगों की की गयी स्वास्थ्य जांच ।
चापरमुख मारवाड़ी पट्टी में स्वास्थ्य शिविर कल। 
 
                      रोहा में आज लायंस क्लब, नगांव ग्रेटर के तत्वावधान और लॉटस टिएमटी बार के सहयोग में मोबाइल मेडिकल...
                  
   
  
  
  
   
  