ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામના જય અંબે નવયુવક મન્ડળ દ્વારા અંબાજી પગપાળા જનાર ભાઈભક્તો માટે વિસામાનું આયોજન કરાયું હતું. આ વિસામો ૫ દિવસ સુધી પગપાળા અંબાજી જનાર ભક્તોની સેવામાં રહેસે. 

કરોડીયા-પૂર્વ ગામના સરપંચ રાધિકાબેન તારેશ્વરભાઈ નિનામાં દ્વારા રીબીન કાપી આ વિસામો પગપાળા અંબાજી જનાર ભક્તો માટે ખુલ્લો મુકાયો હતો. કરોડિયા પૂર્વ સરપંચ દ્વારા અંબાજી પગપાળા જનાર તમામ સંઘ ના આયોજકો અને જનાર તમામ ભક્તો ને આ વિસામા માં પધારી સેવાનો મોકો આપવા વિનંતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કરોડીયા પૂર્વ ગામના આગેવાનો,મન્ડળ ના સભ્યો, સામાજિક કાર્યકરો, બાળકો, સહીત મહિલાઓ ઉપસ્થિત રહી હતી,