વઢવાણ :શ્રાવણ મહિનાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે અને ભાદરવો મહીનો શરૂ થવાનો છે. ચોમાસાનાં ત્રણ મહીના દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા વરસાદ થયો છે, બીજી બાજુ અત્યાર સુધીમાં ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૫.૬૬ ટકા ખરીફ વાવેતર થઈ ચુક્યું છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે, જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૫૦૪ મી.મી., ચોટીલા તાલુકામાં ૪૮૯ મી.મી., થાનગઢ તાલુકામાં ૩૩૭ મી.મી., દસાડા તાલુકામાં ૩૮૯ મી.મી., ધ્રાંગધ્રા તાલુકામાં ૩૫૪ મી.મી., મુળી તાલુકામાં ૩૪૮ મી.મી., લખતર તાલુકામાં ૩૭૮ મી.મી., લીંબડી તાલુકામાં ૩૩૦ મી.મી., વઢવાણ તાલુકામાં ૪૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખરીફ વાવેતર પણ વધ્યું છે. ઝાલાવાડમાં ખેડુતો દ્વારા અત્યાર સુધીમાં ૫,૯૭,૪૨૦ હેકટરમાં જુદા જુદા ખરીફ પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં ૯૫.૨૬ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે એટલે કે, ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. ઝાલાવાડનાં ખેડુતોએ સૌથી વધુ કપાસનું ૪,૦૫,૬૧૨ હેકટરમાં વાવેતર કરેલ છે. મગફળીનું ૨૧,૧૭૪ હેકટરમાં વાવેતર કરેલ છે. ૬૭,૯૫૮ હેક્ટરમાં દિવેલાનું વાવેતર કરેલ છે. ૭૭,૬૬૬ હેકટરમાં ઘાસચારો, ૫,૪૪૧ હેકટરમાં શાકભાજી, ૮,૫૩૮ હેકટરમાં તલનું વાવેતર કરવામાં આવેલ છે, આ ઉપરાંત ડાંગર, બાજરી, મગ, અડદ, સોયાબીન વિગેરેનું પણ વાવેતર કરવામાં આવેલ છે. ઝાલાવાડમાં સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં ૧,૧૫,૨૨૫ હેકટરમાં થયેલ છે જ્યારે સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં ૧૫,૫૯૭ હેકટરમાં થયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जल्द साकार होगा विकसित भारत का सपना : पंकज मेहता
भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र दामोदरदास मोदी जी का जन्मदिवस सेवा संकल्प पखवाड़े के रूप में...
Airtel यूजर्स को Free मिल रहा एक्स्ट्रा डेटा, न चूकें मौका! इन रिचार्ज प्लान पर मिलेगा फेस्टिव ऑफर
कुछ यूजर्स को ऐसे रिचार्ज प्लान पसंद आते हैं जिनमें लंबी वैलिडिटी के साथ ज्यादा डेटा भी ऑफर किया...
चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाखांच्या साहित्याची चोरी ; 7 कामगारांवर गुन्हा
खेड : मुंबई गोवा महामार्गावरील चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाख 15 हजार 709 रुपयांच्या...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
8 જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર...
વડગામ તાલુકાના વરણાવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..
વડગામ તાલુકાના વરણાવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..