વઢવાણ :શ્રાવણ મહિનાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે અને ભાદરવો મહીનો શરૂ થવાનો છે. ચોમાસાનાં ત્રણ મહીના દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા વરસાદ થયો છે, બીજી બાજુ અત્યાર સુધીમાં ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૫.૬૬ ટકા ખરીફ વાવેતર થઈ ચુક્યું છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે, જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૫૦૪ મી.મી., ચોટીલા તાલુકામાં ૪૮૯ મી.મી., થાનગઢ તાલુકામાં ૩૩૭ મી.મી., દસાડા તાલુકામાં ૩૮૯ મી.મી., ધ્રાંગધ્રા તાલુકામાં ૩૫૪ મી.મી., મુળી તાલુકામાં ૩૪૮ મી.મી., લખતર તાલુકામાં ૩૭૮ મી.મી., લીંબડી તાલુકામાં ૩૩૦ મી.મી., વઢવાણ તાલુકામાં ૪૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખરીફ વાવેતર પણ વધ્યું છે. ઝાલાવાડમાં ખેડુતો દ્વારા અત્યાર સુધીમાં ૫,૯૭,૪૨૦ હેકટરમાં જુદા જુદા ખરીફ પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં ૯૫.૨૬ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે એટલે કે, ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. ઝાલાવાડનાં ખેડુતોએ સૌથી વધુ કપાસનું ૪,૦૫,૬૧૨ હેકટરમાં વાવેતર કરેલ છે. મગફળીનું ૨૧,૧૭૪ હેકટરમાં વાવેતર કરેલ છે. ૬૭,૯૫૮ હેક્ટરમાં દિવેલાનું વાવેતર કરેલ છે. ૭૭,૬૬૬ હેકટરમાં ઘાસચારો, ૫,૪૪૧ હેકટરમાં શાકભાજી, ૮,૫૩૮ હેકટરમાં તલનું વાવેતર કરવામાં આવેલ છે, આ ઉપરાંત ડાંગર, બાજરી, મગ, અડદ, સોયાબીન વિગેરેનું પણ વાવેતર કરવામાં આવેલ છે. ઝાલાવાડમાં સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં ૧,૧૫,૨૨૫ હેકટરમાં થયેલ છે જ્યારે સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં ૧૫,૫૯૭ હેકટરમાં થયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ...
વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ પ્રકારના વચનોની લ્હાણી કરવામાં...
राष्ट्रवादी भवन येथे महिलांसाठी कौटुंबिक समुपदेशन संपन्न@india report
राष्ट्रवादी भवन येथे महिलांसाठी कौटुंबिक समुपदेशन संपन्न@india report
लूणकरणसर के स्वर्गीय मंगतु लाल जी
लूणकरणसर के स्वर्गीय मंगतु लाल जी अग्रवाल के पोत्रो द्वारा भागवत कथा का आयोजन किया।
मथुरा वृंदावन...
ચોટીલાના રાજપરા ગામે જાહેર સભામાં આપના ઉમેદવારે ખેડૂતો માટે સિંચાઈને લઈ પાણી પહોંચાડવા માટે એફિડેવિટ કરીને જાહેરાત કરી
ચોટીલા વિધાનસભા બેઠકના આપના ઉમેદવારે ખેડૂતોને એક ગેરંટી આપી છે. ખેડૂત મતદારોને આમ આદમી પાર્ટીના...
અંબાજી નજીક 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે....