તહેવાર ટાણે વૃદ્ધના મોતથી પરિવાર માં માતમ સવાઈ ગયું ચલાલામા મહાદેવપરા વિસ્તારમા રહેતા એક હર્ષદભાઈ ભાનુશંકર જોષી નામના ૬૦ વર્ષીય વૃધ્ધ પોતાના ઘરે ગેસના ચુલા પર પાણી ગરમ કરી રહ્યાં હતા ત્યારે દાઝી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.ચલાલા ના મહાદેવપરામા રહેતા હર્ષદભાઇ પોતાના ઘરે હતા ત્યારે રસોડામા હળદરવાળુ પાણી ગેસના ચુલા પર ગરમ કરવા જતા હતા . તેણે લાઇટરથી ગેસ ચાલુ કરતા જ ભડકો થતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા . હર્ષદભાઇને સારવાર માટે પ્રથમ ચલાલા અને બાદમા વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યાં હતા . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે જશોદાબેને ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી . વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.વી ચુડાસમા ચલાવી રહ્યા છે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી