મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક બકરી ઈદ જે ઈદ-ઉલ-અઝહાનો તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવનાર ૭ તારીખના રોજ બકરી ઈદ (ઇદ ઉલ અઝહા) ની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તેવી અપીલ કરી કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ તેમજ પીએસઆઈ પી કે ક્રિશ્ચયન ની હાજરીમાં પોલીસ મથકે શાંતી સમિતિની બેઠક યોજાઈ જેમા કાલોલ નગર પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા તેમજ કોર્પોરેટરો ગોપાલભાઈ પંચાલ, હરિકૃષ્ણ પટેલ, યુવરાજસિંહ રાઠોડ, અલ્તાફભાઈ, સલામભાઈ કોશિયા, ઈકબાલભાઈ બેલીમ તેમજ બન્ને કોમના અગ્રણીઓ રફીકભાઈ ચૌધરી, રઝાકભાઇ, લઘુમતી મોરચાના ઈકબાલ દિવાન, બોરુ ગામના શકીલભાઇ બેલીમ હાજર રહ્યા હતા. પીઆઇ આર ડી ભરવાડ દ્વારા મુસ્લીમ સમાજને ઇદ મુબારક પાઠવી હતી બન્ને સમાજના આગેવાનોએ શાંતિ પૂર્ણ વાતાવરણ મા ઉજવણી કરવા ખાતરી આપી હતી.