ખેડા - ઠાસરા 

મહીસાગર નદીના પટ વિસ્તાર માં ચાલતી ખનીજ ચોરી 

ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા કોતરો ને ઉધઈ ની જેમ ચટ કરી જતા ભૂમાફિયા ઓ...

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી ના પટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેર કાયદેસર માટી રેતી તથા કપચી જેવા ખનીજ તત્વો નું બેફામ ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ યોગ્ય અસરકારક કામગીરી ન કરવામાં આવતા ભૂમાફિયો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે 

ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા રાણીયા અકલાચા ચિતલાવ જેસાપુરા ભદ્રાસા સહિતના ગામોના કોતર વિસ્તારો માંથી બેફામ રેતી ખનન ચાલતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે 

આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરી થી સરકારી તિજોરીઓને તો નુકશાન થઈ રહ્યું છે સાથે સાથે પર્યાવરણ માટે પણ આ નુકશાન રૂપ સાબિત થાય તેમ છે 

મહત્વ ની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરી પર તંત્ર ની નજર નથી પડતી કે પછી તંત્ર ના કેટલાક અધિકારીઓ ના છુપા આશીર્વાદ હોય તેવો પ્રશ્નો ઉદભવવા પામ્યા છે 

હવે જોવું રહ્યું કે આવા બેફામ બનેલા ભૂમાફિયો વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ તથા સ્થાનિક સંબંધિત તંત્ર કેવા પ્રકારના પગલા લેશે કે પછી "સાપ ની ઘેર સાપ જાય અને દૂધ પીને પાછો આવે " તે કહેવત ને સાર્થક કરશે. ..

રિપોર્ટર, સૈયદ અનવર ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.