અમરેલી એલસીબી ટીમે ચલાલા ટાઉનમાં હત્યા કરી ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો.
ચલાલા ટાઉનમાં હત્યા કરી ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો હતો. લાલભાઈ ધીરૂભાઇ હીરપરા તથા ભાવેશભાઈ ધીરૂભાઈ હીરપરા બન્ને વચ્ચે મિલ્કતના ભાગ બાબતનો વિવાદ ચાલતો હોય, નિકુંજભાઈ જયસુખભાઈ મોણપરા ઉ.વ.૩૫ રહે.મીઠાપુર (ડુંગરી) તા.ધારી જિ.અમરેલી વાળો લાલભાઈનો મિત્ર હોય, આ લાલભાઈ સાથે નિકુંજભાઈ સાવરકુંડલા ખાતે લાલભાઈના સબંધીને ત્યા ગયેલ હોય જે ભાવેશ ધીરૂભાઇને સારુ નહી લાગતા તેનુ મનદુખ રાખી, ભાવેશએ નિકુંજભાઈને ફોન કરી ગાળો આપેલ અને તા.૧૦/૦૩/૨૫ ના ૧૦ વાગ્યે ચલાલા ટાઉન સાવરકુંડલા રોડ, માર્કેટીંગ યાર્ડ સામે ભાવેશના ઘર પાસે નિકુંજભાઈ હોય તે દરમિયાન આ ભાવેશએ નિકુંજભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને લોખંડના પાઈપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા કરતા સારવારમાં દાખલ કરેલ હોય જે અંગે નિકુંજભાઈના પિતા જયસુખભાઈ કેશુભાઈ મોણપરા, રહે.મીઠાપુર (ડુંગરી), તા.ધારી, જિ.અમરેલીવાળાએ ફરીયાદ જાહેર કરતા ચલાલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૩૨૫૦૦૩૧/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૦૯(૧), ૧૧૭(૩), ૩૫૨, ૩૫૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ અને ત્યાર બાદ સારવાર દરમ્યાન નિકુંજભાઈનું મોત થતા આ બનાવ ખુનનો બન્યો હતો. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તથા ચલાલા પો.સ્ટે. ટીમ દ્રારા ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી ભાવેશ ધીરૂભાઇ હીરપરાને પકડી પાડી આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. જયવીર ગઢવી તથા અમરેલી એલ.સી.બી. પીઆઇ વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા, પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ, એ.એસ.આઈ. કનાભાઈ સાંખટ, હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, કુલદીપભાઈ દેવભડીંગજી, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી તથા ચલાલા પો.સ્ટે. ના પો.ઈન્સ. જી.આર.વસૈયા તથા ચલાલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે......
વીરજી શિયાળ