અમદાવાદ
શહેરમાં ભાગીદારે દગો આપતા એક વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.વસ્ત્રાલ વિસ્તારમાં 23મી જુલાઈનાં રોજ રોનક પટેલ નામનાં 42 વર્ષીય યુવકે આપધાત કર્યો હતો. જેમાં ઘરમાં ગળેફાંસો ખાઈ યુવકે આપધાત કરતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે મૃતક રોનક પટેલે આત્મહત્યા પહેલા પોલીસ કંટ્રોલરૂમમાં એક સુસાઈડ નોટ મોકલી હતી.સાથે જ મૃતકે પોતાનાં વતનની જમીન અને અન્ય બાબતોનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જોકે આ મામલે રામોલ પોલીસે રોનક પટેલનાં ભાગીદાર રાકેશ ઉનડકટ અને તેની સાથેનાં મારૂતિભાઈ કૃણાલભાઈ અને ધવલભાઈ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ENGITECH SOLUTION કંપનીમાં જુના મશીન પર તેમણે કરેલી લોન પરથી 14 જૂન 2020માં નોટરી કરારથી મારા નામની પ્રોપરાઈટર ફર્મમાં વગર પૈસે રોકાણે લોન કરાવી રાકેશ ઉનડકટ ભાગીદાર બન્યા હતા. આ લોનમાં તેમની જ ફર્મ કે તેમને લાગતી વળગતી ફર્મ ચામુંડા એન્જીનિયરીંગ અને વિજય મશીન ટૂલ્સમાંથી બિલ બીલની સાયકલ ફેરવી જુના મશીનને નવા બનાવી લોન કરી અને અમારી કંપની ENGITECH SOLUTION ચાલુ કરી હતી. મારી કંપનીમાં અમારા બંનેના નામે લોન કરવામાં આવશે અને મશીન પ્રોપર્ટી તથા નફામાં બન્નેનો સરખો ભાગ રહેશે તેવી વાત કરવાથી હું તૈયાર થયો હતો. પરંતુ બન્નેના નામે લોન કરવાની જગ્યાએ મારા એકલાના નામે લોન કરી અને વેપારીને પુરી જવાબદારી આપી 50 ટકા ભાગીદાર બન્યા હતા.આરોપીઓએ ભાગીદાર બનતા પહેલા એવી વાત કરી હતી કે ભલે તેનું રોકાણ નથી પરંતુ તેના કોન્ટેક્ટસમાંથી 12 કલાકનું કામ આપશે અને રોજનાં 4-5 કલાક હાજરી આપી સપોર્ટ કરશે. જેનો પગાર કંપનીએ 10 હજાર ચુકવવાના રહેશે જે બાદ વેપારીએ ભાગીદારને પગાર ચુકવ્યો હોવા છતાં તેણે બન્નેમાંથી એક પણ શરતનું પાલન કર્યું ન હતુ. અને કંપનીની 7 લાખ 57 હજાર રૂપિયા સબસીડી આવી તેમાં પણ 50 ટકા ભાગ માંગ્યો હતો.જે ભાગ આપવાની વેપારીએ ના પાડતા ભાગીદારે સબસીડી પાછી ખેંચાવી લેવાની ધમકી આપી રોનક પટેલને મશીન વેચવા મજબુર કર્યો હતો.વેપારી મશીન વેચ્યા બાદ બજારનાં હિસાબમાં 5 લાખનું નુકસાન સામે આવતા લોન ભરવા માટે બેંકમાં ગયા હતા. તે સમયે રાકેશ ઉનડકરે 18 લાખ રુપિયા વ્યાજ પર આપવાનું કહીને લઈ લીધા બાદ આપવાની ના પાડી. જેનાં કારણે વેપારી લોન ભરી શક્યા નહોતા. મૃતક રોનક પટેલે સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે સરકાર આ માણસની વિગતો જાણી યોગ્ય પગલાં ભરે. વર્ષ 2020માં તેનાં ત્યાં કામ કરતા અજય સાગર અને સોહમ પંડ્યાને અલગ અલગ આરોપો લગાવી પેપરમાં નામ આપી વગોડીને કાઢ્યા હતા. તેવી જ રીતે મને પણ માનસિક રીતે પ્રેસરમાં લાવી આ પગલુ ભરવા મજબુર કર્યો છે.