કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો માનસિક અસ્થિર પતિ ઘરે ન હતો, દીકરો મામાના ઘરે રહેતો હોઇ એકલતાનો લાભ લઇ વડા ગામના ચાર શખ્સોએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.

કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ માનસિક અસ્થિર છે. તેનો પુત્ર મહેસાણા નજીક આવેલા ગામે મામાના ઘરે રહે છે. દરમિયાન સપ્તાહ અગાઉ તેણીનો પતિ જમીને બહાર ગયા હતા. રાત્રિના સમયે તે ઘરે એકલી હતી. ત્યારે વડા ગામનો લવકુશ કનુભા ઝાલા, ધમેન્દ્રસિંહ ઉર્ફે ભોલો ધીરૂભા વાઘેલા, રધુભા કિતુભા વાઘેલા અને દિલીપસિંહ રણજીતસિંહ વાઘેલા ઘરે આવ્યા હતા.

અને જાનથી મારી નાખવાની ધમકી આપી મકાનના ઉપરના માળે લઇ જઇ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાતાં પીએસઆઇ એસ. એમ. પાંચીયાએ તપાસ કરી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.