સુપરસ્ટાર અક્ષય કુમાર તેની ફિલ્મ પસંદગી માટે ખાસ પ્રખ્યાત છે. જો કે અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણી ફ્લોપ ફિલ્મો પણ કરી છે. આ દિવસોમાં સુપરસ્ટાર તેની ફિલ્મ ‘રક્ષા બંધન’માં વ્યસ્ત છે. અક્ષય કુમાર ઘણી વખત વિવાદોમાં રહ્યો છે, જેની પાછળનું કારણ તેની નાગરિકતા છે. ખિલાડી કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. આવી સ્થિતિમાં તેને આ માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે. હવે અક્ષય કુમારે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

કેનેડાની નાગરિકતા અંગે અક્ષય કુમારનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં, અભિનેતાએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તે બધું છોડીને કેનેડા પાછો જતો હતો. અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે, ભારતની નહીં. આવી સ્થિતિમાં લોકો ખિલાડી કુમારને ઘણી વખત કેનેડા કુમાર કહીને ટ્રોલ કરે છે. આવી સ્થિતિમાં ખિલાડી કુમારે કહ્યું આવી વાત, જાણીને તેના ફેન્સ ચોંકી જશે.

વેબસાઈટ સાથે વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે ‘ઘણા વર્ષો પહેલા મારી ફિલ્મો ચાલતી ન હતી. લગભગ 14-15 ફિલ્મો ફ્લોપ થઈ. પછી મનમાં આવ્યું કે કદાચ મારે બીજે ક્યાંક જઈને કામ કરવું જોઈએ. તે સમયે મારા એક મિત્રએ કહ્યું કે તમે કેનેડા શિફ્ટ થઈ જાઓ. મારો મિત્ર પણ કેનેડામાં રહેતો હતો. ઘણા લોકો ત્યાં કામ માટે જાય છે અને તે હજુ પણ ભારતીય છે. પછી મેં વિચાર્યું કે અહીં નસીબ મને સાથ નથી આપી રહ્યું તો મારે બીજું કંઈક વિચારવું પડશે. પછી કેનેડાની નાગરિકતા માટે અરજી કરી અને તે મેળવી.

આ ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે આગળ કહ્યું કે મારી પાસે પાસપોર્ટ છે. જે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે હોય છે. હું એક ભારતીય છું મારા તમામ ટેક્સ ચૂકવું છું. હું ત્યાં પણ ટેક્સ ભરી શકું છું પરંતુ હું મારા પોતાના દેશમાં જ ચૂકવીશ અને મારા જ દેશમાં રહીશ