ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાંણીમાં રવિવારે કૈલાશ ટેકરી ખાતે કેદારેશ્વર મહાદેવ મંદિરનું ગુરૂ પૂર્ણિમા નિમિત્તે જીણોદ્વાર ભટ્ટનું મુહૂર્ત કરાયું હતું અને ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી.

જેમાં મહંત 1008 શ્રી ઓમગીરીજી મહારાજ દ્વારા વેદાંત મંત્રોચ્ચાર સાથે મંદિરને નવિન બનાવવાની કામગીરી ખુલ્લી મૂકાઇ હતી. જ્યારે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે મંદિરમાં શિષ્યોએ ગુરૂજીના મહત્વ વિશે સમજાવ્યું હતું. જ્યારે શિષ્યોએ ગુરૂજીના આશિર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. જ્યારે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, માલગઢના પૂર્વ સરપંચ શ્રવણકુમાર પરમાર, સંતો-મહંતો, આગેવાનો, ભાવિક ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.