ડીસાના વાડી રોડ વિસ્તારના યુવકે બુધવારે પોતાના ઘરમાં ચાદરથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જો કે, યુવકે આપઘાત કરતાં પહેલાં સાસરિયાઓ તેની પત્નીને અન્ય જગ્યાએ પરણાવી દેતાં આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.

આ અંગેની વિગત મુજબ, ડીસાના વાડીરોડ વિસ્તારમાં બુધવારે ધીરજ રાજગોર નામના પરિણીત યુવકે પોતાના ઘરમાં ચાદરથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જોકે, યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. જેમાં તેને સાસરિયા પક્ષના લોકો સામે આક્ષેપ કરી જણાવ્યું હતું કે, મારી પત્ની પિયર મળવા ગઈ હતી અને બાદમાં ત્યાંથી જ મારા સાસરીયા પક્ષના લોકોએ તેને અન્ય જગ્યાએ પરણાવી દીધી હતી.

જોકે, વાયરલ વિડીયોમાં યુવકે સાસરિયાના કેટલા લોકો સામે નામ જોગ પણ આક્ષેપ કર્યો છે. જોકે, હાલ તો આ મામલે ડીસા ઉત્તર પોલીસે લાશને પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.