ગોધરા શહેરમાં આવેલ બ્રહ્મા કુમારીઝ કેન્દ્ર ઉપર આજરોજ આન, બાન, અને શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્મા કુમારીઝ કેન્દ્રોના સંચાલિકા બ્રહ્મા કુમારી સુરેખાદીદીએ ધ્વજવંદન કર્યુ હતું. ત્યારબાદ આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે ગોધરા નગરના પૂર્વ વિસ્તારમાં સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઈ - બહેનો પોતાના વાહનો પર રાષ્ટ્ર ધ્વજ અને પરમપિતા પરમાત્માના ધ્વજ લઈને વિશાળ સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન દેશ ભકિતના સૂત્રોની સાથે સાથે ગીત-સંગીતથી ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેલી માં અમૃત મહોત્સવનો સુંદર વાહન રથ પણ શોભયમાન હતો. આ ત્રિરંગા યાત્રાનું સમાપન બ્રહ્મા કુમારીઝ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યુ