વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં મંગળવારે મોડી રાત્રે એક આધેડ મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ફાયર ફાઈટરની ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢી તેમના વાલી વારસોને સોંપ્યો હતો.

વાવ તાલુકાના દેવપુરા ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં મંગળવારે મોડી રાત્રીએ એક આધેડ મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતા બુધવારે વહેલી સવારે પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. તેમજ થરાદ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી સતત બે કલાકની જહેમત ઉઠાવી બપોરના સમયે મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી તેમના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો.

મૃતક મહિલા વાવના દેવપુરા ગામની અજોતીબેન પટેલ (ઉં.વ.આ. 50) હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આધેડ મહિલાએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવી તે જાણી શકાયું ન હતું.