વિરપુર તાલુકાના પીકઅપ બસ સ્ટેન્ડની હાલત દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાના વરસાદ વચ્ચે પણ મુસાફરો પીકઅપ બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાનું જોખમ લેતાં નથી. કારણ કે મોટા ભાગના જર્જરિત સ્ટેન્ડ ગમે ત્યારે પડું પડું થઇ રહ્યાં છે. વિરપુરના જનતા સીનેમા પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડની હાલત જર્જરિત અને બિસમાર થતાં તેના નવીનીકરણ કરવાની માગ ઉઠી છે તાલુકાના ઘણા સમયથી મોટાભાગના પીક અપ સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યાં છે. આ પીક આપ સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે, મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં ગામના કે પરગામના મુસાફરો માટેની છત સમાન હોય છે આ પીક અપ સ્ટેન્ડ બિન ઉપયોગી થવા પામ્યા છે તો કેટલાક પીક અપ સ્ટેન્ડના આગળનો ભાગ તૂટી પડ્યો છે તાલુકાના મોટાભાગના પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં બન્યા છે તો કેટલાક પીક અપ સ્ટેન્ડ આસપાસ આંગણવાડી અને શાળાઓ પણ આવેલી છે, જો કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તૂટે તો અકસ્માત નોતરે તેવું લોકોનું માનવું છે જ્યારે દિવસે દિવસે તાલુકાના જર્જરિત પીક અપ સ્ટેન્ડોની હાલત ખરાબ થઇ રહી છે જ્યારે કેટલાંક પીકઅપ સ્ટેન્ડની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરના પ્લાસ્ટરના પોપડા પણ પડી રહ્યા છે જો કોઈ વ્યક્તિ પીકઅપ સ્ટેન્ડની અંદર ઉભો હોય અને પોપડો પડે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે સ્થાનિક લોકોની માંગણી છે કે તત્કાલીન ઝડપથી તાલુકાના જર્જરિત પીકઅપ સ્ટેન્ડને જમીન દોષ કરવામાં આવે નહીં તો આ પીકઅપ સ્ટેન્ડ આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पर्यावरण जनचेतना कार्यक्रम रैली, वार्ता, प्रकृति भ्रमण, प्रश्नोत्तरी
राजस्थान राज्य प्रदूषण नियंत्रण मंडल बूंदी के द्वारा जन चेतना कार्यक्रम , ग्रीष्मकालीन...
भगवान नेमिनाथ स्वामी का जन्म कल्याणक व तप कल्याणक शनिवार को जैन समाज ने धूमधाम से मनाया
बूंदी* . जैन धर्म के 22वें तीर्थंकर भगवान नेमिनाथ स्वामी का जन्म एव तप कल्याणक शनिवार को जैन समाज...
એક સમયના સારા મિત્રો રશિયા અને યુક્રેન દુશ્મન કેવી રીતે બન્યા ?
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ. મૃત્યુઆંક જાણી શકાયો નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે...
ISRO कंट्रोल रूम में देखिए ये क्या हुआ , अब होगा खेल |ISRO live Update |Chandrayaan 3 Live Streaming
ISRO कंट्रोल रूम में देखिए ये क्या हुआ , अब होगा खेल |ISRO live Update |Chandrayaan 3 Live Streaming