દાંતીવાડામાં ત્રણ રસ્તા નજીક ડાલાની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું હતું.

દાંતીવાડા તાલુકાના મારવાડા ગામના રવાજી મગનજી મારવાડીયા શુક્રવારે દાંતીવાડા ત્રણ રસ્તા નજીક આવેલી એચપી પેટ્રોલ પંપ સામેથી ચાલતા જતા હતા. તે વખતે સામેથી આવતા પીકઅપ ડાલાના ચાલકે ટકકર મારતા રવાજીને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને દાંતીવાડા સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા. જેથી પોતાના ભત્રીજા ગણપતભાઈ નાગરભાઈ મારવાડીયાએ અજાણ્યા પિકઅપ ચાલક વિરૂધ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.