આજરોજ ઠાસરા ગળતેશ્વર કપડવંજ તાલુકાના દલિત સમાજના આગેવાનો ભેગા મળી અને ગોંડલ ખાતેના જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો માનનીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબે શબ્દો ઉચ્ચારેલ જેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા અંગે દલિત સમાજના આગેવાનો દ્વારા માનનીય ઠાસરા પ્રાંત કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલ છે.જેમાં કાયદાના દજ્જામાં રહીને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં ઉપસ્થિત આગેવાનો અરવિંદભાઈ સેનવા , ગીતાબેન મકવાણા , અંબાલાલ ચૌહાણ, હસમુખભાઈ રોહિત,મુકેશભાઈ સેનવા, ચિરાગભાઈ સેનવા , કાળીદાસભાઈ સેનવા, જયદીપભાઈ સેનવા, મહેન્દ્રભાઈ સેનવા તેમજ અન્ય આગેવાનો હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યુ.