ગીર-ગઢડાના ઉગલા ગામની મધ્યમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે રસ્તા પર એકસાથે સિંહ પરિવારે એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

ઉગલા ગામમાં એકસાથે 6 સિંહે શિકારની શોધમાં આવી ચઢ્યા હતા અને ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની દિવાલ કુદી રસ્તા પર એક ગાયને નિશાન બનાવી તેના પર હુમલો કરી દીધો હતો. આ પશુ પર હુમલા બાદ સિંહ પરિવારે એક સાથે રસ્તાની વચોવચ આરામથી ફરતા બેઠી મારણની મજિબાની માણી હતી.